રામાયણનું ચિંતન

રામાયણનું ચિંતન પુસ્તક ની પ્રસ્તાવના માંથી સાભાર.

અંગ્રેજો સામે આંદોલનો ચલાવવાં સરળ હતાં, પણ આઝાદ દેશને સાચવવો એ સરળ ન હતું. ગાંધીજીની વિચારધારા આઝાદીના વારસામાં મળી. તેમાં અહિંસાની પ્રધાનતા હતી. આપણને અહિંસાનો નશો ચઢેલો હતો, તેથી સેના અને શસ્ત્રો પ્રત્યે ધ્યાન ન આપ્યું, ઉપેક્ષા જ થઈ. પાકિસ્તાન અહિંસાવાદી ન હતું. તેણે હુમલા શરૂ કરી દીધા. સર્વપ્રથમ તેણે હિન્દુ પ્રજાને તગડી મૂકી. તે લોકો બિનમુસ્લિમોને નાપાક પ્રજા સમજતા હતા. પાકિસ્તાન પાક પ્રજા માટે રચાયું હતું. મોમીનો પાક હતા જ્યારે કાફિરો નાપાક હતા, તેથી પહેલાં તો પાકિસ્તાનને પાક કરવા માટે નાપાક પ્રજાને બને તેટલી તગડી મૂકી.

(more…)