ઝનૂન-3

[લખ્યા તા. 30—1—’93]

rashtra-na-salagta-prashno

હિન્દુઓ તોફાનો કરવામાં પહેલ નથી કરતા એટલે વર્ષોથી પારસીઓ, ખ્રિસ્તીઓ, વગેરે સાચી લઘુમતીઓ વગર તોફાને અહીં પ્રેમથી, માનથી રહે છે.

આઝાદી પછી ચાર વાર પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા (કાશ્મીર, કચ્છ, કાશ્મીર—પંજાબ અને છેલ્લે બાંગ્લાદેશ). ચારે વાર જ્યારે નાક સુધી પાણી આવ્યું ત્યારે જ ભારતે પ્રત્યુત્તર આપ્યો, એ પણ બહુ મોળો, કારણ કે તેની નસમાં લડાઈતત્ત્વ નહિવત્ છે. કદાચ એ જ કારણસર (યુદ્ધવિમુખતા) પાકિસ્તાનને વારંવાર લડાઈ કરવાનો પાનો ચડે છે. એટલે તો એ ભારતીય દૂતાવાસમાં કર્મચારીઓને મારપીટ કરીને અપમાનિત કરી શકે છે, તથા કચ્છના માછીમારોને છેક જખૌ સુધી આવીને પકડી જઈ શકે છે. જે ઢીલાપોચાપણું દિલ્હી અને ગાંધીનગરની સરકારોમાં ડગલે ને પગલે જોવા મળે છે તે જ ઢીલાપોચાપણું સામાન્ય હિન્દુ નાગરિકોમાં પણ જોવા મળે છે. આ પોચાપણાના કારણે લગભગ બધી જ સરકારોએ તેની ઉપેક્ષા કરી, તિરસ્કાર કર્યો, પક્ષપાત કર્યો. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો ગાંધીનગરમાં જે જમીન મસ્જિદ બાંધવા અપાઈ તથા જે જમીન સ્વામિનારાયણ મંદિર બાંધવા અપાઈ તે બંનેના ભાવોનો આકાશ—પાતાળનો ભેદ જોઈ આવજો. ધર્મનિરપેક્ષતાની દંભી વાતો તરત જ જણાઈ આવશે.
(more…)