દેવલોક, અસુર્લોક અને ભ્રમણાં – દંતાલી આશ્રમ

Side A –
– ઉપનિષદની વિશેષતા, એમાં સંપ્રદાય કે પંથ નથી, મતમોહ નથી અને કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે આવું તિલક કરજો, આવી કંઠી બાંધજો કે અમુકજ મંત્ર કરજો. ઉપનીષદોમાં ક્ષુલ્લક વાતો નથી. ઉપનિષદ સત્યને જાણવાની ઈચ્છા વાળા જીજ્ઞાસુ લોકો માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે. @2.30min. “असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः” જેમણે પોતાના આત્માની હત્યા (અહી આપઘાત સમજવું નહિ) કરી એવા આત્મ હત્યારાઓ અસુર્ય નામના લોકને પ્રાપ્ત થાય છે. એટલેકે જેણે બધું તો જાણ્યું પરંતુ આત્માને જાણ્યો નહિ એટલેકે આત્માની ઉપેક્ષા કરનારા મર્યા પછી આવા ગાઢ અંધકાર વાળા લોકમાં જાયછે. લોકનો અર્થ (શંકરાચાર્ય) જ્યાં વિષયોના ભોગ ભોગવી શકાય તે. બે મૂખ્ય લોક – અસુર લોક અને દેવ લોક (ગીતા અધ્યાય ૧૬). જેનું આરોગ્ય સુધરે તેનું તન સુધરે અને જે સદગુણો ભરે તેનું મન સુધરે. @5.50min. અનુવાંશિક રોગો અને ગુણો વિશે. લોક ઉપર નથી બધા પૃથ્વી ઉપરજ છે. @8.00min. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે. દેવ લોક – એટલે જ્યાં કોઈ કોઈને છેતરે નહિ, કોઈ જુઠું બોલે નહિ, કોઈ કોઈને ઠગે નહિ, કોઈ ઓછુ ન જોખે, પડેલું હોય તે કોઈ લે નહિ, વચન પાળે, ઈશ્વરમાં ભક્તિ હોય અને લોકો ન્યાય નીતિથી જીવતા હોય તે દેવ લોક કહેવાય. બોલો આ અહિ ઘટશે કે પરદેશમાં? અસુર લોક – એટલેકે જ્યાં કલહ થયા કરતો હોય, માન જેવી કોઈ વાત નહિ અને એક-બીજાને અગવડ પહોચાડવામાંજ લોકો રચ્યાપચ્યા રહેતા હોય ત્યાં લોકો સુખી થાય કે દુઃખી? @12.00min. કુગ્રામવાસની વ્યાખ્યા – જ્યાં શાંતિથી લોકો તમનેજીવવા ન દે. અસુર લોકની પહેલી નિશાની ગંદકી, એમાં દેવો રહે ખરા? @13.10min. જૈન મુની અને હિંસા વિશે. ભારતમાં જેટલી હિંસા થાય તેટલી બીજા દેશોમાં થતી નથી. ઓછી હિંસા કરીને વધારે સુખ પૂર્વક ક્યાં લોકો રહે છે? પરદેશમાં એટલેકે દેવ લોકમાં. એટલેજ તો લોકો અમેરિકા જેવા દેવ લોકમાં જવા પડાપડી કરે છે. @16.00min. પ્રજા ગુમરાહ થતી હોય છે ત્યારે દુઃખી થતી હોય છે. ગુમરાહીના ઉદાહરણો. જીવનના માંર્ગનેજ ઊલટાવી નાખવામાં આવે એટલેકે જ્ઞાનના દ્વારા અજ્ઞાન, ધર્મના દ્વારા ધર્માભાષ તો કોઈ દિવસ પ્રજા સુખી ન થઇ શકે. અંધશ્રદ્ધા અને ભ્રમણાઓમાં નાંખનારા મહારાજો વિશે. જર્મની, જાપાન, ઇઝંરાએલમાં આવા મહારાજો છે? @50.19.00min. ભજન – માનવ નડે છે માનવીને – શ્રી નારાયણ સ્વામી