ગુપ્તચરોનો મહિમા – પહાડપુર

 

Side A –
– શ્રી જયંતીભાઈ ભગવાનદાસ પટેલના બહુમાન પ્રસંગે.રાજવ્યવસ્થા ચાર પાયા પર ઊભી હોય છે. અવ્યવસ્થા વિનાની કોઇ વ્યવસ્થા હોતીજ નથી. @4.22min. સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત છે ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત છે સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ(નૈતિકતા). (1) અંગ્રેજો, મોગલો, પેશ્વાઓ અને રાજપૂતોમાં શું ફરક છે તે સાંભળો. કોઇ દેશને પોતાનો કરવો હોય તો તેના બંદરો કબજે કરવા. અકબરને એના કુટુંબીઓને હજ કરવા મોકલવા હોય તો પોર્ટુગીઝ ની પરમીટ જોઈએ. પોર્ટુગીઝ(અલ્બાકર્કી) અઢાર નાવડાં લઈને આવેલો અને આખો દરિયો કબજે કરી લીધો @8.17min.ભાવનગર બંદરની વાત – અંગ્રેજો પાસે જતું ભાવનગર બંદર મુત્સદ્દી એવા દિવાન ગગા ઓઝાએ કેવી રીતે બચાવ્યું તે સાંભળો. ગગા ઓઝાએ બહુ સરસ જવાબ આપ્યો કે મેં સંસારથી સન્યાસ લીધો છે પણ રાષ્ટ્ર ભક્તિથી સન્યાસ નથી લીધો. નિયમો પાળજો પણ નિયમોની જડતાને ન વળગી રહેશો. @13.50min. મુત્સદ્દીપણા વિના રાજ વ્યવસ્થા ન ચાલી શકે. દુનિયાને ડોબાની પણ જરૂર હોય છે પણ ભલા થજો કોઈ મુત્સદ્દીની ખુરસી ઉપર ડોબાને ન દેસાડશો. તમે 45 વર્ષ પછી બીજા વલ્લભભાઈ ને પેદા કરી શક્યા નથી. મુત્સદ્દી પુરુષ ભૂલ કરે તો સદીઓ સુધી આખા દેશને એના પરિણામો ભોગવવાં પડે. પણ અહિ તો દરેક ખુરસી પર ડોબાંજ ડોબાં. @20.00min. (2) બીજા દેશ પર આક્રમણ ક્યારે કરવું? કે જ્યારે તે દેશની પ્રજામાં, અમલદારોમાં અસંતોષ જાગેલો હોય ત્યારે. મહમ્મદ ગઝની જ્યારે પાટણ ઉપર ત્રાટક્યો ત્યારે પાટણના રાજાને ખબરજ ન હતી. 1 લાખ ને 15000નુ લશ્કર સાથે કેવું સાહસ કર્યું તે સાંભળો. બાર્ડમેર, જેસલમેર પાર કરીને પાટણને લૂંટી લીધું. અહી ગુપ્તચરોની કળી ખૂટતી હતી. અમેરિકા એની ગુપ્તચર સંસ્થા દ્વારા આખી દુનિયા પર રાજ કરે છે. ઈઝરાઈલ એક નાનો સરખો દેશ છે પણ એની ગુપ્તચર સંસ્થા એટલી પાવરફુલ છે કે ૧૩ દુશ્મનોની વચ્ચે ખુમારીથી ટકી શક્યું છે. @25.22min. જયંતીભાઈ જે ખાતામાં કામ કરે છે એનું એટલું મહત્વ છે કે ભારતની આઝાદી કે ગુલામી, જય કે પરાજય એ ખાતાને આધીન છે. (3) તમારી પાસે ગુપ્ત સમાચારો છે, તમારા મગજમાં મુત્સદ્દીગીરી પણ છે પણ આપણાં બાવડાં દુર્બળ છે, એમાં જોર નથી જેનું પરિણામ ૧૯૬૨માં ભોગવવું પડ્યું. અફઘાનિસ્તાન વિશે સાંભળો. વિયેતનામમાંથી અમેરિકાને ભૂંડી રીતે ભાગવું પડ્યું, એમ રશિયાને પણ અફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું પણ જો એ રશિયા ભારતમાં ઘુસી ગયું હોત તો આઠ વર્ષ સુધી અફઘાનિસ્તાન જેટલો પ્રતિકાર ન મળત. ૧૨ વર્ષના અફઘાન છોકરાને બંદુક જોઈએ છે. જે પ્રજાના મનની અંદર સોલ્જરપણું ન હોય તે પ્રજા આઝાદી ન ભોગવી શકે. આઝાદી માટેની અનીર્વાર્ય શર્ત છે કે તમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપી શકો છો? વર્ષો પહેલા વિશ્વામિત્રે ધનુર્વેદની રચના કરી એમાં લખ્યું છે કે પોતાના દુશ્મન કરતાં જે ડબલ સેના અને ચડિયાતાં શાસ્ત્રો રાખે છે તેને લડાઈ કરવી પડતી નથી. જો તમારું બજેટ ન પહોંચતું હોય તો બે-પાંચ-સાત રાષ્ટ્રો ભેગા થઇ સંગઠન કરો અને જો આમાંનું કઈ નહિ કરી શકો તો બેઆબરૂ થઈને ગુલામી માટે તૈયાર રહો. @31.35min. આજે પણ આપણે એટલી ખોટી નીતિ અપનાવી રહ્યા છીએ કે એના ભયંકર પરિણામો આપણને ભોગવવાં પડશે. ચાઈના સાથે, ઈરાન સાથે ભાઈબંધી કરવા દોડીએ છીએ, જેની પાસેથી અનેકવાર આપણને ખોટા બોધપાઠ મળ્યા છે અને જેની સાથે ભાઈબંધી કરવી જોઈએ એની સાથે કરતા નથી, એને પરિણામે કાશ્મીરને કેમ અલગ કરવું એની યોજના તૈયાર થઇ ગઈ છે. હું અહિંસાવાદી છું, પણ મારો અહિંસાવાદ હિંસાવાદીઓને લાભ પહોંચાડે એવો નથી પણ પડકાર આપે એવો છે. અહિંસાવાદ, શસ્ત્ર સાથેનો અહિંસાવાદ હોવો જોઈએ. ભારતની અહિંસાની વાત દેશને નુકશાન કરનારી છે. એક ગાંધીવાદીએ પૂછ્યું કે ગાંધીજીની અહિંસાની અને અગ્રેજોની અહિંસામાં શું ફરક છે? જવાબ સાંભળી લેવો. અફ્ઘનોનું મન અને પાકિસ્તાનું મન હથીયારમાં, લશ્કરમાં અને નહેરુજી વારંવાર કહેતા કે બુદ્ધનો, ગાંધીનો દેશ છે, અહી લશ્કરની જરૂર નથી. વિનોબા ભાવે પણ એમજ કહેતા. @37.42min. એક ઓળખીતા પટેલે પોતાની બંદૂકથી પોતાનો જાન કેવી રીતે બચાવ્યો તે સાંભળો.@39.53min. (4) સારામાં સારી ગુપ્તચર સંસ્થા છે, સારામાં સારું લશ્કર છે, પણ મોરલ નથી તો એકડા વિનાના મીંડા થઇ જશો. મોરલ ઉપરથી આવતું હોય છે. રાજા મોરાલવાળો હોય તો દિવાન અને પ્રજા પણ મોરાલવાળી થાય છે. અંગ્રેજનું ઉદાહરણ સાંભળો. મોરલ વિષે એક ખલીફાનું જીવન ચરિત્ર સાંભળો. @45.54min. આપણે જો રાષ્ટ્રભક્ત હોઈએ, ગાંધીજીના ભક્તો હોઈએ, ભારત માતાના ભક્તો હોઈએ અને આ દેશને મહાન બનાવવો હોય તો એની રાજવ્યવસ્થા સુધારવી પડશે. @47.07min. જયંતીભાઈ પટેલનું બહુમાન કર્યું તે વિશે સાંભળો.

 

Side B – 

– મેક્ષિકોનો અનુભવ ચાલુ…સ્વામીજીની મહેચ્છા – ગુજરાતમાંથી થોડાક લોકો મીલીટરી, એર ફોર્સમાં જાય, નેવીમાં BSF માં જાય. જો નહિ જાવ અને કાલે દિલ્હીમાં મીલીટરીનું શાસન થયું તો ગુજરાતનું રક્ષણ કોણ કરશે? સ્વામીજીની વાતનો એક પાટીદાર પર પ્રભાવ પડ્યો અને લશ્કરમાં જોડાઈ ગયો. બે-ત્રણ વર્ષ પછી મળ્યો તો કહે છે કે કોઈ કન્યા નથી આપતું, કારણકે તેમની દીકરી વિધવા થાય. બલિદાન વિના આઝાદી નથી હોતી. @2.29min. મને ડબલ આનંદ એ બાબતનો છે કે એક કડવા પટેલનો દીકરો જોતરાયો, એટલુજ નહિ એણે એટલું સારું કામ કર્યું કે રાષ્ટ્રપતિએ એની નોંધ લેવી પડી અને એવોર્ડ અર્પિત કર્યો. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે જયંતી ભાઈની બાકીની સર્વિસ છે, એ બાકીની સર્વિસ માં પણ પ્રગતિ કરતા રહે અને આ દેશનું લુણ છે, એ લુણને બદલો આપતા રહે. જયંતીભાઈના સન્માનમાંથી આપણે બોધ-પાઠ લેવાનો છે કે તમારા ત્રણ-ચાર દીકરા હોય તો એકને થી પ્રાર્થના કરું કે લશ્કરમાં મોકલો. @5.57min. દક્ષિણના મંદિરોમાં કરણાટકનું સંગીત અને શહનાઈવાદક બિસ્મિલ્લાહ ખાન ત્યાં શા માટે રડ્યો? તે સાંભળો. એવોર્ડ મળે તો વાહવાહ, બીજો મળે તોયે વાહવાહ પણ એના માટે લાલસા રાખવાની જરૂર નથી. कर्मण्येवाधिकारस्ते माफ़लेसुकदाचन्…..(गीता 2-47). મારું કામ અને મને પોતાને એમાંથી જે સંતોષ મળે એજ મારો એવોર્ડ. આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે અમારો દેશ સુરક્ષિત રહે અને આ નાનામોટા ઓફિસરો એમની ડ્યુટી, કર્તવ્ય એક નિષ્ઠાથી બજાવતા રહે એજ અપેક્ષા. આભાર, ધન્યવાદ હરિઓમ તત્સત. @9.50min. સંત ચરિત્રમાંથી “धर्मो रक्षति रक्षित्:” @32.09min.ૐ કાર વિશે જાણકારી. @36.22min. આપદ ધર્મ. @40.48min. વર્ણ વ્યવસ્થાથી હાની. @47.46min. देश भक्ति गीत – क्या हुआ गर मर गए अपने वतनके वासते.