ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૪

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

આઝાદી પહેલાં અને પછીની સ્થિતિ

1947માં આપણને આઝાદી મળી અંગ્રેજો ચાલ્યા ગયા. તે પછી પાકિસ્તાને પાંચ વાર આક્રમણો કર્યાં. અને ચીને એક વાર આક્રમણ કર્યું. આપણે એકે વાર પણ કોઈ ઉપર આક્રમણ ન કર્યું. કારણ કે ચિંતન જ એવું હતું. થોડી વિગત જોઈએ. ગાંધીજીનું નવું ચિંતન તો આક્રમણમાં માનતું જ ન હતું. થોડી વિગત જોઈએ.

પ્રથમ કાશ્મીર ઉપર આક્રમણ

1. આઝાદી પછી ઘણાં રજવાડાં સરદાર સાહેબના પ્રયત્નોથી ભારતમાં ભળી ગયાં. પણ નિઝામ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર જેવાં થોડાં રજવાડાં ભળ્યાં નહિ, સરદાર સાહેબે નિઝામ અને જૂનાગઢને તો ભારતમાં ભેળવી દીધાં. પણ કાશ્મીર પ્રશ્ન નહેરુજીના હાથમાં હતો. ત્યાંના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા, ભારતમાં ભળવા માગતા ન હતા. પં. નહેરુજી તેને સમજાવી શક્યા નહિ. લાગ જોઈને પાકિસ્તાને કાશ્મીર ઉપર છદ્મ હુમલો કરી દીધો. 22-10-1947ના રોજ સેનાના માણસોને કબાયલીઓના વેશમાં બંદૂકો સાથે કાશ્મીર ઉપર આક્રમણ કરવા મોકલી દીધા. હરિસિંહે પોતાની સેના સામનો કરવા મોકલી પણ તેમાં મુસ્લિમોની બહુલતા હોવાથી તે પેલા પક્ષમાં ભળી ગઈ. આક્રાન્તા છેક શ્રીનગર સુધી પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં હરિસિંહને ભાન થયું. તેણે મદદ માટે દિલ્હી સરકારને પ્રાર્થના કરી. પં. નહેરુને મોડેમોડે સદ્બુદ્ધિ સૂઝી. તેમણે કેસ સરદાર સાહેબને સોંપ્યો. સરદાર સાહેબે પહેલી શરત હરિસિંહ સામે મૂકી કે તમે ભારતમાં ભળી જાવ તો મદદ કરીએ. હરિસિંહે ભારતમાં ભળી જવાની સહી કરી. સરદાર સાહેબે રાતોરાત શ્રીનગરના હવાઈ મથકે સેના ઉતારી દીધી. જનરલ થિમૈયાના નેતૃત્વમાં સેનાએ શ્રીનગર બચાવી લીધું અને પછી પાકિસ્તાનીઓને ખદેડવા લાગ્યા. હવે થોડું જ કાશ્મીર લેવાનું બાકી હતું, ત્યાં સરદાર સાહેબની ઇચ્છા વિરુદ્ધ નહેરુજી યુનોમાં ગયા. યુનોએ યુદ્ધવિરામ કરાવ્યો. આપણી સેના અટકી ગઈ. 2/3 ભારતમાં અને 1/3 કાશ્મીર પાકિસ્તાનમાં ગયું. હજી પણ આ જ દશા છે. L.O.C. ઉપર આપણા લાખ્ખો સૈનિકો રોકાયેલા રહે છે. પ્રશ્ન બગડી ચૂક્યો છે. કોઈ ઉકેલ દેખાતો નથી.

આ પાકિસ્તાનનું પહેલું આક્રમણ હતું. સરદાર સાહેબ ન હોત તો આજે આટલું કાશ્મીર પણ આપણી પાસે ન હોત. આપણે આક્રમણ તો ન કર્યું, પૂરું પ્રત્યાક્રમણ પણ ન કર્યું. પ્રશ્ન સળગતો રહી ગયો.

ચીનનું આક્રમણ

(more…)