સર્વ ધર્મ વિચાર – જૈન સમાજ – અમદાવાદ

સર્વ ધર્મ વિચાર – જૈન સમાજ – અમદાવાદ

Side A –
-પંડિત સુખલાલજીની પુણ્ય સ્મૃતિમાં – વ્યક્તિ અને સમષ્ટિના પ્રશ્નો ઉકેલી આપે તેનું નામ ધર્મ. વિશ્વના ધર્મોએ ઘણા પ્રશ્નો ઊભા કાર્ય છે, એમાંથી ઊગરવાનો રસ્તો છે બધા ધર્મો પ્રર્યેનો સમભાવ. ધર્મના ત્રણ પગથિયાં, કુદરતનો, શાસ્ત્રોનો અને રૂઢિઓ દ્વારા આવેલો. @૩.૩૮નિન. પદાર્થોની ધર્મની વ્યાખ્યા. માણસ સિવાયની આખી સૃષ્ટિ કુદરતી નિયમ પ્રમાણે જીવન જીવી રહી છે.કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેના મૂળમાં બે તત્વો આવેગો અને લાગણીઓ અને તે સૃષ્ટિ ચલાવવા માટે વ્યવસ્થા કરેલી છે. @8.૩૭મિન. મહાભારતના યુદ્ધનું આવેગો બાબતે ગાંધારીનું ઉદાહરણ. @11.55min. શાસ્ત્રિય ધર્મ – શાસ્ત્રો આવ્યા એટલે ધર્મ સંપ્રદાય બન્યો. દુનિયાનું કોઈપણ શાસ્ત્ર સીધેસીધું ઈશ્વરના દ્વારા કે મૂળ પુરુષના દ્વારા લખાયેલું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો ક્રમે ક્રમે વર્ષો સુધી રચાયેલા અને તે ગ્રંથો બન્યા. (more…)