[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

listen – Side A

કવિ અને કલાકાર(જુનાગઢ) – નરસિંહ મહેતાની ૫૦૦મી જન્મજયંતિ પ્રસંગે – જીવનના બે રૂપ – પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વિશે સાંભળો. આપણે કાર્યને જોઈ શકીએ છીએ પરંતુ કારણને નથી બતાવી શકતા એ અંશમાં જીવન રહસ્યમય છે. ઉદાહરણો સાંભળો. @5.15min. જીવનના કેટલાયે તાણાંવાણાં આપણે જાણતા નથી, સમજતા નથી એટલે જીવન શોધવાની વસ્તુ છે. તમારું જીવન પ્લાન પ્રમાણે ચાલ્યું છે? સ્વામીજીનો તો આખો પ્લાનાજ ઊંધો કેવી રીતે વળી ગયો તે સાંભળો. આસ્તિક્તાનો બીજો કોઇ આધાર નથી, જો મારું મગજ એકેએક વાતનો નિવેડો લાવી શકતું હોત તો મારે ઈશ્વરને માનવાની જરૂર નથી. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા કેમ થયા? કોઈએ બનાવ્યા? @9.47min. વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે જીવનની કરોડરજ્જુ ને ઘડવાના પ્રેરક બળો સમજમાં આવે તો તમે તમારી આજુબાજુના બધાને ઓળખી શકશો. ઉદાહરણો: @10.49min. ઓળખીતા એક સજ્જનની વાત. @14.49min. એક બહેનની વાત (પુત્રીને સાસરે વળાવતી વખતે શું કહેવું?) જરૂર સાંભળો, જીવનમાં કામ આવશે. @21.22min. એક નાગર બ્રાહ્મણ બહેનની વાત. તમે નોટો ગણવામાં જેટલું ધ્યાન આપો એથી વધારે છોકરા સાચવવાનું ધ્યાન આપો. નોટો લુટાઈ જશે તો પાછી મળશે પરંતુ છોકરાંઓ લુંટાઈ જશે તો પોકે ને પોકે રડશો, કોઇ છાનું રાખવાવાળું પણ નહિ મળે. @25.50min. અમદાવાદના એક મિલ માલિકની પત્નીની વાત. મહેલ જેવું ઘર છોડીને ઝુંપડામાં કેમ ગઈ?. @33.23min. આઇનસ્ટાઇન વિશે. @34.58min. પેટ અને બુદ્ધિ જયારે હૃદયમાં સમર્પિત થાય ત્યારે એક “કલાકાર” પેદા થાય છે, તે પછી તે કોઈપણ ક્ષેત્રનો કલાકાર હોય. @37.14min. એક સમારંભમાં શહનાઇ વગાડતા એક કલાકાર અને તેની કદર કરવા વિશે જરૂર સાંભળો. @39.22min. હૃદયમાં પેટ ભળે અને મસ્તિસ્ક પણ બે રીતે સમર્પિત થાય, પરમેશ્વર હાથ લગાડે એટલેકે મસ્તિસ્કની કઠોરતાને કાઢી નાંખે અને હૃદય તેના અંધાપાને દુર કરે પછી એમાંથી એક “સંત કવિ” પેદા થાય, એક નરસિંહ મહેતા મળે, પછી એમાંથી આપોઆપ સરસ્વતી નીકળવા માંડે. @41.37min. એક ડાયરાની વાત. @46.28min.નરસિંહ મહેતાના બધા ભજનો, પદો રસથી ભરેલા છે કારણકે નાભીમાંથી પરાવાણીથી નીકળેલા છે. નરસિંહ મહેતા કોઇ સાધુ નથી કે કોઇ ગાદીપતિના આચાર્ય નથી પણ સ્વયંભૂ સંત છે.

listen – Side B

– સંતોની પરંપરા …ચાલુ…એક બહેન નરસિંહ મહેતાનું પદ ગાવા વિશે. “ઊંચી મેડી તે મારા સંતની” @2.02min. સ્વામીજીનો વૃંદાવનમાં ભિક્ષા માંગવાનો અનુભવ સાંભળો. @૬.૩૭મિન. આપણે કોરા આત્મવાદમાં ચાલ્યા ગયા અને વાસ્તવિક આવશ્યકતાઓને છોડી દીધી, વિવેકાનંદે તે શરુ કીધી. @10.37min. મહાદેવ ગોવિંદ રાનડે વિશે. નાની ઘટનામાંથી મોટો સંદેશ. અમદાવાદમાં એક ઇટાલિયન જેણે દુનિયાના પ્રાર્થનાના પદો ભેગા કરેલા તેને સૌથી શ્રેષ્ઠ “પ્રીતમ” નું ભજન “હરીનો મારગ છે શૂરાનો” ગમ્યું. ભક્ત કવિ જયારે સહજ રીતે સુધારક બને ત્યારે તેની કદર થતી નથી, નરસિંહ મહેતા કોઈ આંદોલન જગાડી ચાલ્યા નહિ પરંતુ એમને એવાજ પદોની રચના કરી. @15.03min. સ્વામી આનંદનું પુસ્તક “ધરતિની આરતી વિશે. સુરતના અનાવિલ બ્રાહ્મણે એમની ભાર યુવાવસ્થામાં વિધવા થયેલી દીકરીના પુનર્લગ્ન કરાવ્યા અને જ્ઞાત બહાર મૂકાયા અને તેમને ખુબ તકલીફો પડી.@18.45min. વિડંમણામાંથી નરસિંહ સેકાયા, જુનાગઢ છોડીને હરિજનની ઓસરીમાં રહેવાનું થયું. સાહિત્ય બે સંપુટ(કોડિયાં)માં રહેતું હોય છે તે ઊર્મિ અને પીડા. જે આ બંને વચ્ચે સંતુલન રાખે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. નરસિંહે ખુબ વેદના અને પીડા જોઇ. પીડાના પ્રકાર – આબરૂહિન, પ્રતિષ્ઠાહિન થઈને ધૃતકારમય થઇને જીવવાના જેવી કોઈ પીડા નથી. જો નરસિંહ મહેતાના જીવનમાંથી કંઈ બોધપાઠ લેવો હોય તો કોઈની આબરુને ઊઘાડી ના કરશો. કોઈને પ્રાણથી મારી નાખવું તેના કરતા તેના યશને મારી નાખવું એ મહાપાપ છે. યશથી ઘાત થયેલો તો જીવતોએ મરેલો અને માંરેલોએ મરેલો છે. @25.20min. નરસિંહની વાણી ત્રણ ભાગમાં વહેચી શકાય. ભક્તિથી તરબોળ – પ્રવચન અધુરું રહ્યું. @26.11min. સ્મશાન અને સ્મશાન યાત્રા વિશે. @37.30min. ભજન – ઊંચી મેડી તેમારા સંતની રે – શ્રી મતિ હંસા દવે. ભૂતળ ભક્તિ પદારથ મોટું – શ્રી આશિત દેસાઈ.